વૈષ્ણવજન તો તેને રે કહીએ

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે … વૈષ્ણવજન

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે … વૈષ્ણવજન

– નરસિંહ મહેતા

See also  The Ballad Of Melicertes by Algernon Charles Swinburne
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *