સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે … સત્ય વસ્તુમાં

ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને મટી ગયો વર્ણવિકાર રે, તનમનધન જેણે પોતાનું માન્યું ના સતગુરુ સાથે જે એકતાર રે … સત્ય વસ્તુમાં

એવાને ઉપદેશ તુરત જ લાગે જેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે, અલૌકિક વસ્તુ આ એવાને કહેજો નહીં તો રહેશે ના કંઈ સાર રે … સત્ય વસ્તુમાં

હરિ ગુરુ સંતને એક રૂપ જાણજો ને રહેજો સ્વરૂપમાં લીન રે, ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ સમજુ તમે છો મહાપરવીણ રે … સત્ય વસ્તુ

– ગંગાસતી

See also  Homeward Bound by Henry van Dyke
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *