Pachchali Raatna Naath Pachcha Valya

પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી;
નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ વહાલોજી દઈ ગયા વાચ, રાખી.

કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ એને પાય લાગું;
સરસ છે શામળો, મેલશે આમળો જઈ રે વ્હાલા કને માન માંગું.

‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી, દ્વાર ઊભા હરિ હેત જોવા;’
ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને અ-સૂર થાશે મારે ધેન દોહવા.

– નરસિંહ મહેતા

Pachchali Raatna Naath Pachcha Valya by Narsinh Mehta

See also  The Plough by Ella Wheeler Wilcox
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *