મૃત્યુદંડ
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી