મરી જાવું માયાને મેલી
મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી.
કોઈ બનાવે બાગબગીચા, કોઈ બનાવે હવેલી, ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ, પાંચ-પચ્ચીસની થેલી રે … મરી જાવું.
કેસરવર્ણી કાય સુંદર, માંહી ઊગી વિષવેલી, મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, પાળ બાંધ પાણી પહેલી રે … મરી જાવું.
– મીરાંબાઈ