મન ભજી લે મોહન પ્યારાને
મન ભજી લે મોહન પ્યારાને, પ્યારાને મોરલીવાળાને … મન ભજી લે.
સાત સમંદર તરી તરી આવ્યો, ડૂબી મર મત આરા મેં. … મન ભજી લે.
મનુષા દેહ મળેલો છૂટવા, શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? … મન ભજી લે.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, હરિ ભજી લે યે વારામેં. … મન ભજી લે.
– મીરાંબાઈ