દે વરદાન એટલું

સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો ! વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી, બને યુવાનો ન અકાલ વૃદ્ધ, વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો; ધુરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગતે હો સહુથી ય છેલ્લા; ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું ના તું અમારા કવિવૃંદને કદી ઝૂલંત તારે કર પીંજરાના બનાવજે પોપટ- ચાટુ બોલતા. સ્વતંત્રતા, દે વરદાન આટલું.

-ઉમાશંકર જોશી

See also  In May by Paul Laurence Dunbar
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *